છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામના કરસનભાઈ સલાટની પરંપરાગત પથ્થર કળાની ગાથા
આદિવાસી વિસ્તારોમાં ભરાતી હાટ બજારોએ પંરપરાગત કળાને જીવંત રાખી છે. દાતા થી ઉમરગામના પટામાં આવતી આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના સાત દિવસ અલગ અલગ સ્થળો પર હાટ બજાર ભરાય છે. સોમવાર થી રવિવાર સુધી ભરાતી હાટ બજારમાં આતંરિયાળ ગામોના ગ્રામ્યજનો પોતાના જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે આવે છે.